5/16/2012

કામિનીઓનો કંચન-મોહ કોઈ કાળે કમ નહિ થાય

સુવર્ણ અલંકારો સદીઓથી નારીની નબળાઈ રહ્યાં છે. વિવિધ પ્રકારના સોેનાના ઘરેણાં નારીના સૌંદર્ય-શણગારમાં અભિવૃઘ્ધિ કરતાં હોવાથી ભાગ્યે જ કોઈ સ્ત્રી સ્વર્ણાલંકારોના મોહથી મુક્ત રહી શકે છે. ભારત સૈકાઓથી બેજોડ ડિઝાઈનના ઘરેણાં ઘડવા માટેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. 
આપણા દેશમાં લોકશાહીની સ્થાપના પૂર્વે અસંખ્ય રાજા-મહારાજા અને બાદશાહોએ રાજ્ય કર્યું છે. શાસનના પ્રત્યેક તબક્કામાં જે તે શાસનકર્તાની આગવી છાપ છોડે એવા આભૂષણો ઘડાતાં. આજે પણ ચોક્કસ પ્રકારની ડિઝાઈન જોઈને આપણે કહી શકીએ કે તે કયા શાસનકાળમાં ટ્રેન્ડમાં હતી.

આઘુનિક જ્વેલરી ડિઝાઈનરો પુરાણી ડિઝાઈન સાથે આઘુનિક ડિઝાઈનનું ફ્યુઝન કરીને વિવિધ ડિઝાઈનના દાગીના તૈયાર કરે છે. અલબત્ત, આજના જ્વેલરી ડિઝાઈનરો વૈશ્વિક ટ્રેન્ડથી પણ એટલાં જ પ્રભાવિત છે. આમ છતાં તેઓ પુરાણી ડિઝાઈનોનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકતા નથી.


હજારો વર્ષ પહેલાં મહિલાઓ માથા પર ઝીણી ઝીણી સુવર્ણ ચેન પહેરતી. સાથે કાનમાં વાળી, વિશિષ્ટ પ્રકારના બ્રોચ અને વીંટી ધારણ કરતી. ત્યાર પછી ગાંધાર કાળમાં સ્ત્રીઓ કાનમાં સોનાની બુટ્ટી, બાજુબંધ, હાંસડી જેવા આભૂષણો પહેરતી. તે વખતમાં હાંસડીમાં પશુ-પક્ષીઓની ડિઝાઈન બનાવવાનો ટ્રેન્ડ હતો.

સંગા કાળમાં અલંકારોની ડિઝાઈનમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું હતું. આ સમય દરમિયાન માત્ર પીળી ધાતુના ઘરેણાં ઘડવાને બદલે તેમાં રત્નો જડવાનો આરંભ થયો હતો. રત્ન-માણેક જડેલા દાગીના બનાવવાની શરૂઆત મદુરાઈમાં થઈ હતી. તે સમયમાં ગોળ ડીશ જેવી બુટ્ટી પહેરવાનો ટ્રેન્ડ હતો. આ પ્રકારની ઈયરરીંગને ‘કર્ણફૂલ’ કે ‘કર્ણિકા’ કહેવામાં આવતી.

આ સમય દરમિયાન જ રત્નજડિત હાર બનાવવાનો આરંભ થયો હતો. લાંબા અને ટૂંકા એમ બે પ્રકારના હારમાંના ટૂંકા હારને ‘કંઠ’ અને લાંબા હારને ‘લંબંમ’ તરીકે ઓળખવામાં આવતા. કિંમતી રત્નજડિત બાજુબંધ, સોનાના ગોળ-ચોરસ મણકામાંથી બનાવેલા બ્રેસલેટ અને ‘મેખલા’ના નામે ઓળખાતો કમર પટ્ટો નારીના શણગારમાં ઉપયોગમાં લેવાતાં મુખ્ય ઘરેણાં હતાં.


આજે જે આભૂષણો  બનાવવામાં આવે છે તેની ડિઝાઈનમાં મોગલ કાળની છાપ સ્પષ્ટ વર્તાય છે. મોગલ કાળના કારીગરો ઘરેણાંમાં નિતનવી ડિઝાઈન ઘડવામાં નિપુણ હતાં. કુંદનના દાગીના આ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી અનુપમ ભેટ છે.

અલંકારોમાં ફૂલ-પાનની ડિઝાઈન રચવામાં  તેમનો જોટો જડે તેમ નહોતો. આજના જ્વેલરી ડિઝાઈનરો પણ તેમને અનુસરવામાં ગર્વ અનુભવે છે. પણ અફસોસની વાત એ છે કે આમાંના બહુ ઓછા સોનારા ઉપખંડમાં રહ્યાં. ૧૮મી સદીમાં આ કારીગરોમાંથી ઘણાંને ઈરાન લઈ જવામાં આવ્યાં. જ્યારે બાકી રહેલા કારીગરોમાંથી કેટલાંકને ૧૯મી સદીમાં બ્રિટન લઈ જવામાં આવ્યાં.


દરમિયાન ભારતમાં અલંકારો બનાવવાનું કામ અવિરત જારી રહ્યું હતું. ઓગણીસમી સદીમાં આભૂષણોની  ડિઝાઈનમાં પરિવર્તન આવ્યું હતું. મોટા અને ભારે અલંકારોનું સ્થાન નાજુક અને હળવાં દાગીનાએ લીઘું હતું. ૧૯૪૦માં ફૂલ-પાન અને ઝીણી દોરી જેવી ચેનની ફેશન હતી. જ્યારે ૧૯૫૦-૬૦ દરમિયાન ફરી પરંપરાગત ડિઝાઈનના દાગીના પર પસંદગી ઉતારવામાં આવી હતી. ૧૯૫૦માં ફેશન જગતમાં સોનાના આભૂષણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સઘળી ફેશન સુવર્ણ અલંકારોની આસપાસ ફરતી હતી એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.

જ્યારે ૧૯૬૦ થી ૧૯૭૦નું દશક ૧૯૫૦ કરતાં તદ્ન વેગળું જોવા મળ્યું હતું. આ દાયકામાં ફૂલોની ડિઝાઈનવાળા ઘરેણાં અને વિવિધ પ્રકારના હારનો ટ્રેન્ડ રહ્યો હતો. આ ઉપરાંત મોટા પેન્ડન્ટ, ચળકતી બંગડીઓ, કાનમાં મોટા લટકણીયા જેવા આભૂષણો માનુનીઓની પ્રથમ પસંદ બન્યા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે તે વખતે ઉડીને આંખે વળગે એટલા મોટા અલંકારો પહેરવાની ફેશન હતી. ભારતમાં સોેનાના અલંકારોે ધારણ કરવાની પરંપરા છેલ્લા પાંચેક હજાર વર્ષથી વણથંભી ચાલી  આવે છે. ઘરેણાં ઘડવામાં આ કિંમતી પીળી ધાતુનો ઉપયોગ શરૂ થયો તેનાથી પહેલા હિન્દુસ્તાનની સ્ત્રીઓ ફૂલમાંથી બનાવેલા દાગીના પહેરતી. સ્વર્ણાલંકારોમાં જોવા મળતી ફૂલ-પાનની ડિઝાઈનની પ્રેરણા તેમાંથી જ લેવામાં આવી હતી.


દાગીના પર પસંદગી ઉતારવામાં આવી હતી. ૧૯૫૦માં ફેશન જગતમાં સોનાના આભૂષણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સઘળી ફેશન સુવર્ણ અલંકારોની આસપાસ ફરતી હતી એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. જ્યારે ૧૯૬૦ થી ૧૯૭૦નું દશક ૧૯૫૦ કરતાં તદ્ન વેગળું જોવા મળ્યું હતું. આ દાયકામાં ફૂલોની ડિઝાઈનવાળા ઘરેણાં અને વિવિધ પ્રકારના હારનો ટ્રેન્ડ રહ્યો હતો.

આ ઉપરાંત મોટા પેન્ડન્ટ, ચળકતી બંગડીઓ, કાનમાં મોટા લટકણીયા જેવા આભૂષણો માનુનીઓની પ્રથમ પસંદ બન્યા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે તે વખતે ઉડીને આંખે વળગે એટલા મોટા અલંકારો પહેરવાની ફેશન હતી. ભારતમાં સોનાના અલંકારો ધારણ કરવાની પરંપરા છેલ્લા પાંચેક હજાર વર્ષથી વણથંભી ચાલી  આવે છે. ઘરેણાં ઘડવામાં આ કિંમતી પીળી ધાતુનો ઉપયોગ શરૂ થયો તેનાથી પહેલા હિન્દુસ્તાનની સ્ત્રીઓ ફૂલમાંથી બનાવેલા દાગીના પહેરતી. સ્વર્ણાલંકારોમાં જોવા મળતી ફૂલ-પાનની ડિઝાઈનની પ્રેરણા તેમાંથી જ લેવામાં આવી હતી.


10-JEWELLERY-2470.gifઆજની તારીખમાં સોનાના આભૂષણો ખરીદવા-પહેરવાની પરંપરામાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. એવું નથી કે આજે સુવર્ણ અલંકારો નથી પહેરાતા, કે તેની ચમક ઓછી થઈ ગઈ છે. પરંતુ એક સમયમાં સોનાના દાગીના ટ્રેન્ડ સેટર ગણાતા, આજે આ વાત ભૂતકાળ બની ગઈ છે. આઘુનિક જ્વેલરી ડિઝાઈનરો માત્ર પીળી ધાતુના આભૂષણો નથી બનાવતા. આજે આપણને ‘વાઈટ ગોલ્ડ’, ‘રેડ ગોલ્ડ’ જેવી વિવિધતા જોવા મળે છે.

છેલ્લા પચાસેક વર્ષ દરમિયાન સોનાના ઘરેણાંની ડિઝાઈન પર વૈશ્વિક ફેશનની છાપ સ્પષ્ટ દેખાઈ આવી છે. આ આભૂષણોમાં કેટલીક ડિઝાઈનો એકદમ નવી, અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી છે. લાંબા સમય સુધી આ ટ્રેન્ડ ચાલ્યા પછી ફેશનનું ચક્ર ફરી પાછું ફરી ગયેલું જણાય છે. છેલ્લા થોડા સમયથી ઘરેણાંની ડિઝાઈનમાં ફરી પાછો પરંપરાગત સ્પર્શ જોવા મળી રહ્યો છે. અગાઉ ભારતમાં બાવીસ કેરેટ સોનાના દાગીનાનું ચલણ હતું. પરંપરાગત ડિઝાઈનમાં આજે પણ બાવીસ કેરેટ સોનાના દાગીના બનાવવાનો ટ્રેન્ડ જારી છે. સાથે સાથે હીરાના ઘરેણાંની આઘુનિક ફેશનને કારણે અઢાર કેરેટ સોનાની માગ પણ વધી છે. હીરાનાં ઘરેણાં અઢાર કેરેટ સોનામાં ઘડવામાં આવતા હોવાથી અઢાર કેરેટ સોનાની માગ વધી હોવા છતાં દીકરીને લગ્નમાં આપવા માટે પીળુ સોનુ  જ ખરીદવામાં આવે છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે ભારતીય માનુનીઓની ત્વચા પર વાઈટ ગોલ્ડ કે પ્લેટીનમ કરતાં પીળુ સોનું વઘુ શોભે છે. વળી સોનામાં મઢવામાં આવેલા હીરાના આભૂષણોનો ઉઠાવ વઘુ સારો આવે છે. આમ છતાં વૈશ્વિક ચલણને જોતા વાઈટ ગોલ્ડની ઘેલછા ખાળવી મુશ્કેલ છે.
સોનુ સદીઓથી માનવ જાતિને લલચાવતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ સુવર્ણ પ્રત્યેનો મનુષ્ય જાતિનો મોહ ક્યારેય ઓછો થવાનો નથી. ઘરેણાંની ડિઝાઈનમાં નિરંતર ફેરફાર આવતાં રહ્યાં છે. સમયાંતરે ચોક્કસ પ્રકારની ડિઝાઈનો ચલણમાં રહી છે એ વાત નકારી શકાય તેમ નથી. આમ છતાં આજે હીરાની ફેશને પણ જોર પકડ્યું હોવાથી અઢાર કેરેટ સોનાની માગ વધી છે.

સાથે સાથે મહાનગરોમાં રહેતી નોકરીયાત માનુનીઓ ચૌદ કેરેટ સોનાનો વિકલ્પ અપનાવી રહી છે. ઉત્તરોત્તર વધતા જતા સુવર્ણના દામ હમેશાં આ સ્ત્રીઓ માટે સોનાની ખરીદી મુશ્કેલ બનાવી રહ્યાં છે. વળી તેઓ સ્વર્ણાલંકારો પહેરવાની લાલચ પણ રોકી શકતી નથી. આવી સ્થિતિમાં ચૌદ કેરેટ  સોનામાં મઢેલા હીરાના ઘરેણાં તેમને માટે અચ્છો વિકલ્પ પુરવાર થઈ રહ્યાં છે. છેવટે  સો વાતની એક વાત એ છે કે સ્વર્ણ પ્રત્યેનો ભારતીયોનો પ્રેમ-મોહ-લાલસા એટલા પુરાણા છે કે તે ક્યારેય નષ્ટ થવાના નથી.

SOURCE: http://www.gujaratsamachar.com/beta/content/view/57969/292/
 

No comments: